મોડાસા શહેરમાં શાકભાજી વિક્રેતાઓને ત્યાં સોશીયલ ડિસ્ટન્સીંગ માટે સર્કલ બનાવ્યા
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનુ સંક્ર્મણ વધુ જોવા મળ્યુ જેને લઇ જિલ્લો રેડ ઝોનમાં આવતા શહેરમાં વિશેષ તકેદારી રાખવમાં આવી રહી છે. જેને લઇ મોડાસા શહેરમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગના અમલ માટે શાકભાજી વિક્રેતાઓ માટે સર્કલ બનાવવામાં આવ્યા છે.
જેમ અમદાવાદ શહેરમાં શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર સાબિત થયા જેને લઇ શાકભાજીના વેચતા ફેરીયાએ એક જ જગ્યાએ ઉભા રહી વેચાણ કરે તે માટે મોડાસા શહેરના માલપુર રોડ, એસ.ટી રોડ તથા મેઘરજ રોડ પર સર્કલ
બનાવવામાં આવ્યા છે. જેથી શહેરના નાગરીકો દ્વારા સોશીયલ ડિસ્ટસીંગનુ પાલન થાય અને કોરોનાનુ સંક્ર્મણ અટકે તે માટે નગરપાલિકા દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસનુ સંક્ર્મણ વધુ જોવા મળ્યુ જેને લઇ જિલ્લો રેડ ઝોનમાં આવતા શહેરમાં વિશેષ તકેદારી રાખવમાં આવી રહી છે. જેને લઇ મોડાસા શહેરમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગના અમલ માટે શાકભાજી વિક્રેતાઓ માટે સર્કલ બનાવવામાં આવ્યા છે.
જેમ અમદાવાદ શહેરમાં શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર સાબિત થયા જેને લઇ શાકભાજીના વેચતા ફેરીયાએ એક જ જગ્યાએ ઉભા રહી વેચાણ કરે તે માટે મોડાસા શહેરના માલપુર રોડ, એસ.ટી રોડ તથા મેઘરજ રોડ પર સર્કલ
બનાવવામાં આવ્યા છે. જેથી શહેરના નાગરીકો દ્વારા સોશીયલ ડિસ્ટસીંગનુ પાલન થાય અને કોરોનાનુ સંક્ર્મણ અટકે તે માટે નગરપાલિકા દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

