"મોડાસા મિની ઉજા તરીકે ઓળખાતુ ઉમિયા માતાજી ના પટાંગણમાં ભવ્ય પાટોત્સવ યોજાયો
બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી
મોડાસા ખાતે આવેલા ઉમિયા મંદિરના ભવ્ય પાટોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો જોડાયા
હતા,, પાટોત્સવના બીજા દિવસે યગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, મોડાસા ખાતે આવેલા ઉમિયા મંદિરને બે વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા
નિકળી હતી, પાટોત્સવના પ્રથમ દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્ર સમગ્ર મોડાસા શહેરમાં ફરી હતી, જેનો લાભ મોટી સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો,,, સમગ્ર મોડાસા શહેરમાં
ફરીને શોભાયાત્રા નિજ મંદિર પરત ફરી હતી, જ્યાં ભક્તોએ માતાજીના ગરબા ઘૂમીને આરાધના કરી હતી,,,,બે દિવસ ચાલેલા પાટોત્સવમાં દૂર દૂરથી બોત્તેર ગામના લોકો ભક્તિ ભાવ સાથે મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. પાટોત્સવને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય તૈયારીઓ કરાઈ હતી,,


