TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

૧.૬૦ લાખ અરવલ્લીવાસીઓએ ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી સાથે યોગદિનની ઉજવણી કરી: અરવલ્લીના ૪૬૧૫૮ પરીવારોના ૧,૬૩,૮૫૫ લોકો યોગમય બન્યા

કેતન પ્રણામી અરવલ્લી 



કોરોના સામેની લડાઇને વધુ મજબૂત બનાવવા રાજય સરકારે યોગ કરીશુ કોરોનાને હરાવીશુ અભિયાન દ્વારા તમામ લોકોને યોગમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું  જેમાં અરવલ્લીના ૧.૬૦ લાખથી વધુ લોકો પોતાના ઘરે પરીવાર સાથે રહીને યોગ કર્યો હતો.




સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે કોરોના સામેની લડાઇ યોગ એ અરસકારક માધ્યમ અને સંક્રમણ બચવા અને રોગપ્રતિકાર શક્તિ વધારવાનો અકસીર ઇલાજ છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન યોગને સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે અને ૨૧ જૂનને વિશ્વ યોગ દિન અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના મોડાસામાંથી ૧૯૦૨૬, માલપુરમાં૧૦૧૭૦, ધનસુરા ૧૧૨૨૫, બાયડ ૧૭૯૬૪ અને ભિલોડના ૨૦૭૯૦ લોકો, માધ્યમિક શિક્ષણ વિભાગમાંથી ૨૩૩૫૯ જયારે આંગણવાડીના ૩૭૨૫૯ તેમજ શામળાજી મંદિરના પરીસમામાં, જેલના કેદીઓ, પોલીસ, પંચાયત, મહેસૂલ સહિતના તમામ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ પણ પોતાના ઘરે રહી પરીવાર સાથે યોગ કર્યા હતા. 
કોરોનાને લઇ જિલ્લાના ૪૬૧૫૨ પરીવારના  ૧,૬૩,૮૫૫ લોકોએ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી તેમજ સંક્રમણથી બચવા ઘરે રહી ‘યોગ એટ હોમ, યોગ વિથ ફેમિલી’  પોતાના પરીવાર સાથે યોગ દિનની ઉજવણી કરી હતી.