TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીમાં આશ્રિત બનેલા આસામના ૩૫ શ્રમિકોને વતન રવાના કરાયા

કેતન પ્રણામી અરવલ્લી


  સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થંતા જ અરવલ્લી જિલ્લામાં સમગ્ર દેશના અલગ-અલગ પ્રાંતના લોકો આશ્રિત બન્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ચોથા તબક્કકામાં શેલ્ટર હાઉસમાં રોકયેલા પરપ્રાંતિયોને વતનમાં જવાની છૂટ આપતા અરવલ્લી જિલ્લામાં આશ્રિત બનેલા ૩૫ આસામવાસીઓને વતન પરત મોકલાયા હતા.   


અરવલ્લી જિલ્લા છેલ્લા ૬૦ દિવસથી રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ એમ વિવિધ રાજ્યના લોકો અરવલ્લી જિલ્લામાં આશ્રય લઇ રહ્યા હતા. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમને વતન જવાની છૂટ આપવમાં આવતા તબક્કાવાર મધ્યપ્રદેશ, રાજસ્થાનના, ઉત્તરપ્રદેશ અને બિહાર લોકોને તેમના વતન મોકલી આપવામાં આવ્યા હતા, એવા જ આસમ રાજયના ૩૫  લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતા આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા મારફતે તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી , જેમને ફૂડ પેકૅટ, પાણી સહિત તમામ સુવિધાઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે બસ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા.