અરવલ્લીની રતનપુરની સરહદે ૪૦૦ લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરાયું આરોગ્યની ૧૭ ટીમો દ્વારા રાજ્ય બહારના ૮૨ અને ૧૬૫ જિલ્લા બહારના લોકોની તપાસ
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. ત્યારે લોકડાઉના ચોથા તબક્કામાં રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવનો દર્દીઓની સંખ્યા ૧૦૮ સુધી પંહોચી ગઇ છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મંજૂરી લઇને આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે જેને લઇ ,અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુ સરહદ પર આરોગ્યની ટીમ રાઉન્ડથી કલોક કાર્યરત રહે છે.
જેમાં સોમવારના રોજ રતનપુર બોર્ડર પર ૨૪૭ વાહનો જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં રાજસ્થાન અને અન્ય પ્રાંતના ૮૨ તેમજ ગુજરાત રાજય આસપાસના જિલ્લાઓમાંથી ૧૬૫ લોકોએ મંજૂરી સાથે પ્રવેશ મેળવ્યો હતો આ તમામ ૪૦૦ લોકોનું આરોગ્યની ૧૭ ટીમો દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું,
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. ત્યારે લોકડાઉના ચોથા તબક્કામાં રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવનો દર્દીઓની સંખ્યા ૧૦૮ સુધી પંહોચી ગઇ છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મંજૂરી લઇને આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે જેને લઇ ,અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુ સરહદ પર આરોગ્યની ટીમ રાઉન્ડથી કલોક કાર્યરત રહે છે.
જેમાં સોમવારના રોજ રતનપુર બોર્ડર પર ૨૪૭ વાહનો જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જેમાં રાજસ્થાન અને અન્ય પ્રાંતના ૮૨ તેમજ ગુજરાત રાજય આસપાસના જિલ્લાઓમાંથી ૧૬૫ લોકોએ મંજૂરી સાથે પ્રવેશ મેળવ્યો હતો આ તમામ ૪૦૦ લોકોનું આરોગ્યની ૧૭ ટીમો દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું,