અરવલ્લી કોરોનાની સદી તરફ સરકી રહ્યો છે : વધુ ૪ કેસ સાથે ૯૫ લોકો કોરોનાગ્રસ્ત
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે. જો કે અગાઉ ત્રણ ચાર દિવસની રાહત કોરોનાએ આપ્યા બાદ રવિવારથી ફરી પોઝિટિવ કેસો આવી રહ્યા હોય તેમ મંગળવારે ૮ કેસ આવ્યા બાદ બુધવારના રોજ નવા ૪ કેસ આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે. જેમાં મોડાસાના બામણવાડનો ૩૦ વર્ષિય યુવાન, ટીંટોઇનો ૧૬ વર્ષિય તરૂણ, કુડોલનો ૨૦ વર્ષિય યુવાન અને મોડાસા શહેરના ૨૫ વર્ષિય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ત્યારે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ૯૫ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી અત્યાર સુધીમાં ૭૫ દર્દીઓ કોરોનાને હરાવીને જંગ જીત્યા છે અને ૭૫ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.નોંધાયાઅરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૫ કેસ પોઝીટવ નોંધાયા છે. જેમાં છેલ્લા ૩૬ કલાકમાં જ ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે લોકવાયકા મુજબ અગાઉ જે દિવસોમાં કેસ ઓછા આવ્યા હતા તે દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાતા ન હતા. અને જેમ સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા બાદમાં કેસ બહાર આવવા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે અરવલ્લીને રેડ ઝોનમાંથી બહાર લાવવા માટે ટેસ્ટીંગ કરાતા નહોતા.
અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો દિન પ્રતિદિન વધારો જોવા મળી રહયો છે. જો કે અગાઉ ત્રણ ચાર દિવસની રાહત કોરોનાએ આપ્યા બાદ રવિવારથી ફરી પોઝિટિવ કેસો આવી રહ્યા હોય તેમ મંગળવારે ૮ કેસ આવ્યા બાદ બુધવારના રોજ નવા ૪ કેસ આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી છે. જેમાં મોડાસાના બામણવાડનો ૩૦ વર્ષિય યુવાન, ટીંટોઇનો ૧૬ વર્ષિય તરૂણ, કુડોલનો ૨૦ વર્ષિય યુવાન અને મોડાસા શહેરના ૨૫ વર્ષિય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ત્યારે અત્યાર સુધીમાં અરવલ્લી જિલ્લામાં ૯૫ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી અત્યાર સુધીમાં ૭૫ દર્દીઓ કોરોનાને હરાવીને જંગ જીત્યા છે અને ૭૫ દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે.નોંધાયાઅરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૫ કેસ પોઝીટવ નોંધાયા છે. જેમાં છેલ્લા ૩૬ કલાકમાં જ ૧૫ કેસ નોંધાયા છે. ત્યારે લોકવાયકા મુજબ અગાઉ જે દિવસોમાં કેસ ઓછા આવ્યા હતા તે દિવસોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવાતા ન હતા. અને જેમ સેમ્પલો ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા બાદમાં કેસ બહાર આવવા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે અરવલ્લીને રેડ ઝોનમાંથી બહાર લાવવા માટે ટેસ્ટીંગ કરાતા નહોતા.