TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લીના ૭ ખરીદી કેન્દ્ર પરથી ટેકાના ભાવે ૨૨૬૯ કિવન્ટલ ઘંઉની ખરીદી શરૂ કરાઇ

કેતન પ્રણામી અરવલ્લી


જિલ્લાના અત્યાર સુધી ૬૦૨ ખેડૂતોના ૨૫,૫૫૬ કિવન્ટલ ઘંઉની ટેકાના ભાવે ખરીદી કરાઇ
સમગ્ર અરવલ્લી જિલ્લમાં ખેડૂતાના રવિપાકના ખરીદ- વેચાણ માટે તમામ માર્કેટયાર્ડ કાર્યરત કરાયા છે, તેની સાથે ખેડૂતોએ પકવેલા મોંઘા મોલનો યોગ્ય ભાવ મળી રહી તે માટે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે જે અંતર્ગત અરવલ્લીના ૭ કેન્દ્રો પરથી ટેકાના ભાવે ઘંઉની ખરીદી શરૂ કરાઇ છે.
અરવલ્લી જીલ્લાના તમામ માર્કેટયાર્ડમાં ઘઉં ૬૨૯૪ ક્વિન્ટલ એરંડા  ૬૧૦ ક્વિન્ટલ  ચણા ૧૮૭ ક્વિન્ટલ  બાજરી ૭૫૪ ક્વિન્ટલ મકાઈ ૩૧૭ ક્વિન્ટલ વરીયારી ૫ ક્વિન્ટલ  કુલ ૮૧૬૭ ક્વિન્ટલ ખેતપેદાશોની આવક થઇ છે. 

જયારે રાજય સરકાર દ્વારા ખેડૂતોના ટેકાના ભાવે ઘંઉની ખરીદી શરૂ કરાતા અરવલ્લી નિયત કરવામાં આવેલા મોડાસા અને ટીંટોઇના ખરીદી કેન્દ્ર પર ૧૫ ખેડૂતોના ૮૨૧.૫ ક્વિન્ટલ,  ધનસુરાના ૩ ખેડૂતોના ૧૧૪ કિ., બાયડ તાલુકા સાંઠબાના ૧૦ ખેડૂતો ૩૧૯ ક્વિ., ભિલોડાના ૧૩ ખેડૂતોના ૫૦૫ ક્વિ. મેઘરજના ૪ ખેડૂતાના ૨૧૮ ક્વિ.માલપુરના ૬ ખેડૂતોના ૨૯૧ ક્વિ. મળી શુક્રવારે કુલ ૫૧ ખેડૂતોના ૨૨૬૯ ક્વિન્ટલ ઘંઉની ખરીદી કરવામાં આવી હતી. જયારે જિલ્લામાં લોકડાઉનના ત્રણ તબક્કા દરમિયાન જિલ્લાના ૬૦૨ ખેડૂતોના  ૨૫,૫૫૬ કિવન્ટલ ઘંઉની ખરીદી કરવામાં આવી છે