અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવારોના ફૉર્મ રીજેક્ટ થતાં મહિલાઓએ જિલ્લા પંચાયતમાં કર્યો હોબાળો : અધિકારીઓએ ચેમ્બર છોડી
કેતન પ્રણામી અરવલ્લી
ઉમેદવારોનો આક્ષેપ છે કે, આંગણવાડી ભરતીમાં ફૉર્મ ભરનાર મહિલાઓના રીજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કારણો સ્ટેમ્પમાં વિસંગતતા, પ્રમાણપત્રો અપલોડ કરવાના સહિતના કારણો રજૂ કરાયા હતા... જેને લઇને રીજેક્ટ થયેલા તમામ ઉમેદવારોએ ઑનલાઇન અરજી કરી હતી અને ફૉર્મ રીજેક્ટ થવા અંગે જરૂરી કારણો પૂછ્યા હતા.
ઑનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોને મંગળવારના રોજ અરજીના અનુસંધાને સમાધાન કરવા માટે બોલાવાયા હતા, કેટલાક ઉમેદવારોને જિલ્લા પંચાયતના અધિકારીઓએ ઉમેદવારોની ભૂલ હોવા અંગે કોરા કાગળ પર સહીયો કરાવી લીધીના આક્ષેપ કરાયા હતા.. તો કેટલાક લોકોના પ્રશ્નો સાંભળવામાં ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો અને સભાખંડમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જિલ્લા પંચાયત પહોંચેલા ઉમેદવારોએ આ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો હતો. હોબાળો વધતા અધિકારીઓ સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા... ત્યારે નાયબ ડીડીઓમી ચેમ્બર બહાર મહિલાઓ અને કૉંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી છે..
ઉમેદવારોનો આક્ષેપ છે કે, આંગણવાડી ભરતીમાં ફૉર્મ ભરનાર મહિલાઓના રીજેક્ટ કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય કારણો સ્ટેમ્પમાં વિસંગતતા, પ્રમાણપત્રો અપલોડ કરવાના સહિતના કારણો રજૂ કરાયા હતા... જેને લઇને રીજેક્ટ થયેલા તમામ ઉમેદવારોએ ઑનલાઇન અરજી કરી હતી અને ફૉર્મ રીજેક્ટ થવા અંગે જરૂરી કારણો પૂછ્યા હતા.
ઑનલાઇન અરજી કરનાર તમામ ઉમેદવારોને મંગળવારના રોજ અરજીના અનુસંધાને સમાધાન કરવા માટે બોલાવાયા હતા, કેટલાક ઉમેદવારોને જિલ્લા પંચાયતના અધિકારીઓએ ઉમેદવારોની ભૂલ હોવા અંગે કોરા કાગળ પર સહીયો કરાવી લીધીના આક્ષેપ કરાયા હતા.. તો કેટલાક લોકોના પ્રશ્નો સાંભળવામાં ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો અને સભાખંડમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. જિલ્લા પંચાયત પહોંચેલા ઉમેદવારોએ આ ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ કર્યો હતો. હોબાળો વધતા અધિકારીઓ સભાખંડ છોડી ચાલ્યા ગયા હતા... ત્યારે નાયબ ડીડીઓમી ચેમ્બર બહાર મહિલાઓ અને કૉંગ્રેસના આગેવાનોએ રામધૂન યોજી ન્યાયની માંગ કરી છે..